suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Surat :સુરત મહાનગરપાલિકાના મેયરનિધિમાંથી ૪૯૮ જરૂરીયાતમંદોને રૂા.૧.૧૧ કરોડની સહાય એનાયતઃ

Surat :સુરત મહાનગરપાલિકાના મેયરનિધિમાંથી ૪૯૮ જરૂરીયાતમંદોને રૂા.૧.૧૧ કરોડની સહાય એનાયતઃ

Share:

શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવેલી સારવાર માટે પાલિકાના નીતિ નિયમો અનુસાર જરૂરિયાતમંદ દર્દીઓને થયેલા ખર્ચ બાબતે મેયર નિધિમાંથી આર્થિક સહાય મેળવવા અરજીઓ કરવામાં આવી હતી. જેમાં ગત તા.૧લી જુલાઈના રોજ મેયરનિધિની મળેલી મિટિંગમાં ૪૯૮ જેટલા લાભાર્થીઓની ૧.૧૧ કરોડની સહાય મજુર કરીને આવી હતી.

મેયરનિધિ સમિતિની આર્થિક સહાયની સૌથી ઝડપી ચુકવણી છે જેમાં મિટિંગમાં મંજુર થયાના ફક્ત ૧૫ દિવસમાં જ આ સહાય લાભાર્થીને પહોંચતી કરવામાં આવી હતી.

આજે સુરત મહાનગરપાલિકાના સરદાર ખંડમાં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે. મેયરશ્રી ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ, અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ રાજનભાઈ પટેલ, મેયર નિધિ સમિતિના સદસ્યો, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓની હાજરીમાં મેયરનિધિના લાભાર્થીઓને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment