ગત 22મી મેના રોજ ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથકે એક ગુનો દાખલ થયો હતો. કતલ કરેલ ગૌમાસનો જથ્થો 320 કી.ગ્રા તથા નાના મોટા ગૌવંશ ગાયો, વાછરડાઓ નંગ 12 અને કતલ કરવાના સાધનો મળી કુલ 1,36,950/- નો મુદ્દામાલ કબ્જે કરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ભાદી ગામે રહેતા ઇમરાન ઐયુબ ભૈયાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ મથકના એ.એસ.આઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પો.કો અમૃતભાઈ ધનજીભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી.કે કોસંબા હાઇવે ઓવર બ્રિજ ને.હા.નં.48 પાસે છેલ્લા 3 માસથી ગૌવંશ તથા ગૌમાસના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇમરાન ઐયુબ ભૈયાત ઉભેલ છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે વોન્ટેડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને કોસંબા પોલીસ મથકે સોંપી ભરૂચના પાનોલી પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.