suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Umrpada : 70 વર્ષીય આધેડને ઝેરી સાપે ડંખ મારતા મોત

Umrpada : 70 વર્ષીય આધેડને ઝેરી સાપે ડંખ મારતા મોત

Share:

સુરત જિલ્લા ઉમરપાડા, પહેલા ફળિયામાં કડવીદાદા ખાતે રહેતા 70 વર્ષીય રામસિંગભાઈ દુર્લભભાઈ વસાવા પોતાના ઘર નજીક આવેલ દુકાનમાં સાબુ લઈને પરત આવતા હતા. જે દરમિયાન ઘરની બાજુમાં આવેલ ગલીમાંથી પસાર થતા સમયે ઝેરી સાપે રામસિંગભાઈ વસાવાના જમણા પગના પંજા ઉપર ઘૂંટી નજીક ડંખ માર્યો હતો. રામસિંગભાઈ સ્થળ પર ઢળી પડતા તેઓને તાત્કાલિક ઝંખવાવ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment