suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : એસ.ટી, એસ.સી સેલના ભારત બંધના એલાનને બારડોલી અને મહુવામાં સમર્થન

Bardoli : એસ.ટી, એસ.સી સેલના ભારત બંધના એલાનને બારડોલી અને મહુવામાં સમર્થન

Share:

એસ.ટી, એસ.સી સમાજ દ્વારા આજે અપાયેલ ભારત બંધના એલાનને સુરત જિલ્લાના બારડોલી અને મહુવામાં બંધને સમર્થન જોવા મળ્યું હતું. વહેલી સવારથી બારડોલી નગરમાં આદિવાસી સમાજ દ્વારા દુકાનો બંધ કરાવી સહકાર માટે અપીલ કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. જેના વિરૂદ્ધમાં દલિત-આદિવાસી સંગઠનોએ વિરોધ કરી રહ્યા છે. અને જેના ભાગરૂપે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધની બારડોલી અને મહુવામાં પણ આંશિક અસર જોવા મળી રહી છે.બારડોલી નગર માં વહેલી સવારથી કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. તેમજ આદિવાસી સમાજ પણ રસ્તા પર આવ્યું હતું. અને નગરમાં જે દુકાની ખુલ્લી હતી. જેને બંધ રાખવા અપીલ પણ કરાઈ હતી.

બારડોલીન સ્ટેશન રોડ પર મોટી સંખ્યામાં સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો યુવાનો ભેગા થયાં હતાં. અને સ્ટેશન રોડથી મંદિર સુધીના રસ્તાઓ પર આવેલ દુકાનો બંધ કારવાઈ હતી. તકેદારીના ભાગરૂપે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય આદિવાસી સમાજના હિતમાં પાછો લેવા પણ માંગ કરાઈ હતી.

Leave a Comment