suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Kamrej : નર્મદા સોસાયટી નજીક ૫૨ વર્ષીય વેલ્ડરનું કરંટ લાગતા મોત

Kamrej : નર્મદા સોસાયટી નજીક ૫૨ વર્ષીય વેલ્ડરનું કરંટ લાગતા મોત

Share:

 

કામરેજના સાંઈધામ રેસિડેન્સી રોયલ પાર્કની પાછળ કેનલ રોડ ઉપર રહેતા ૫૨ વર્ષીય પંકજ કનુભાઈ કારેલીયા વેલ્ડર તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ બપોરના સમયે નર્મદા નગર સોસાયટીમાં આવેલ કિરણ હેન્ડલુમ્સ એન્ડ જિયાણાની દુકાન આગળ સીડી ઉપર ચડી વેલ્ડીંગનું કામ કરી રહ્યા હતા. દરમિયાન વરસાદી માહોલ વચ્ચે તેઓને કરંટ લાગતા સીડી ઉપરથી નીચે જમીન ઉપર પટકાતા ગંભીર ઇજાઓ સાથે સ્થળ પરજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે મરનાર ઇસમના મૃતદેહનો કબજો લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment