સેસેરીતે શાળામાં વન્યજીવન સંરક્ષણ પ્રવૃત્તિના ભાગરૂપે લાયન-ડેની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની શિક્ષિકા હિરલબેન દ્વારા અનન્ય વર્તન, ખાસીયતો અને જંગલોમાં સિંહો જે જોખમનો સામનો કરી રહ્યા છે. એ બાબતે વિસ્તૃત જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી. શિક્ષિકા સંગીતાબેન દ્વારા ક્રિયાત્મક પ્રવૃત્તિ આર્ટ, ક્રાફટ અને વીડિયો દ્વારા બાળકોની સંવેદનાને પ્રદર્શિત કરવામાં આવી હતી.આ પ્રકારની રચનાત્મક પ્રવૃત્તિઓ થકી આવનારી પેઢીને સિંહ સંરક્ષણના પ્રયાસોમાં સક્રિય ભાગ ભજવવા માટે શાળા દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા. શાળા પરિવારે આ પ્રવૃત્તિમાં સહકાર આપનાર સર્વ વાલી – વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ શાળાના ચેરમેન પદ્મશ્રી કિરણભાઈ વ્યાસ અને કેમ્પસ ડાયરેકટર અમરભાઈ વ્યાસે તમામને અભિનંદન પાઠવ્યા હતા.