કડોદરા ખાતે શ્રી નિવાસ સામે આવેલ અવાવરું જગ્યામાં બંગલીમાંથી માનવ કંકાલ મળી આવતા જિલ્લાની પોલીસ ટીમો દોડતી થઈ હતી. માનવ કંકાલ નજીકથી જરૂરી દસ્તાવેજો મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.કડોદરા શ્રી નિવાસની સામે આવેલ અવાવરું જગ્યામાં બંગલીમાં માનવ કંકાલ જોવા મળતા કડોદરા જી.આઈ.ડી.સી પોલીસને જાણ કરવામાં આવી હતી. કડોદરા પોલીસ તેમજ સુરત જિલ્લા એલ.સી.બીની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને માનવ કંકાલનો કબ્જો લઈ ફોરેન્સિક અર્થે મોકલવામાં આવ્યો છે. માનવ કંકાલ નજીકથી આધારકાર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો પોલીસને મળી આવ્યા છે.આધાર કાર્ડ 40 વર્ષીય પરપ્રાંતીય યુવાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે માનવ કંકાલ જે આધારકાર્ડ મળ્યો છે તેજ વ્યક્તિનો છે કે પછી અન્ય કોઈ ઇસમનો જે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જે પરિસ્થિતિમાં માનવ કંકાલ મળ્યો છે જે આધારે મરનાર ઇસમની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.