બારડોલી તાલુકાના મોરી ( ઉછરેલ ) ગામમાં ટાંકી ફળિયામાં રહેતા વિરામ ભુલાભાઈ હળપતિ ઉ.વ. 40નાઓએ ગતરોજ રાત્રીના સમયે પોતાના પિતાના આવાસના ઘરમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો. આવાસમાં મોભિયાના લોખંડની એંગલ નમી ન જાય તે માટે લાકડાની થાંભલી સાથે સુતરાઉ દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ બારડોલી રૂરલ પોલીસને કરવામાં આવતા મરનાર ઇસમના મૃદેહનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.